Posts

Showing posts from September, 2024

Surat|Bardoli news : બારડોલીમાં સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો.

Image
 Surat|Bardoli news : બારડોલીમાં સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ ગરીબ કલ્યાણ મેળાઓ થકી એક એક જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી રાજ્ય સરકાર પહોંચી છે: ભાવિનીબેન પટેલ ગરીબ કલ્યાણ મેળામાં અને ત્યારબાદ સુરત જિલ્લાના કુલ ૧૯,૩૮૪ લાભાર્થીઓને રૂ.૪૬ કરોડની સાધનસહાય અર્પણ કરવાનો અભિગમ -------  રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ, જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી રાજ્યભરમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળાના ૧૪મા તબક્કા અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સરદાર પટેલ ટાઉન હોલ, બારડોલી ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને મોહનભાઈ ઢોડીયા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું હાથોહાથ વિતરણ કરાયું હતું.               ગરીબ કલ્યાણ મેળા પહેલા, મેળામાં અને ત્યારબાદ કુલ ૧૯,૩૮૪ લાભાર્થીઓને રૂ.૪૬ કરોડની સાધનસહાય અર્પણ કરવાના અભિગમ સાથે જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વ

Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ

Image
 Surat news :ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ અંતર્ગત વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ “સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪: સુરત” ------------  સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવીએ  ઔદ્યોગિક કંપનીઓના સહકારથી આગામી સમયમાં દરિયાકિનારે કાપડની થેલીના વેડિંગ મશીન મૂકવાનું આયોજન        :- વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ------------ સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સજાગ બનતા સુરતીઓ ------------ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન વેગ પકડી રહ્યું છે, જેને અનુસંધાને ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન દિવસ’ની ઉજવણી સાથે સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફસફાઈ કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ પણ ઝુંબેશમાં જોડાયા હતા.                  આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અનુરોધ કરતા વન મ

સ્વચ્છતા હી સેવા અભિયાન: અડાજણ બસ ડેપો ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં સામૂહિક ભાગીદારી નોંધાવતા ડેપોના અધિકારી/કર્મચારીઓ અને મુસાફરો

Image
   સ્વચ્છતા હી સેવા અભિયાન: સુરત ---------  અડાજણ બસ ડેપો ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં સામૂહિક ભાગીદારી નોંધાવતા ડેપોના  અધિકારી/કર્મચારીઓ અને મુસાફરો ------ કર્મચારીઓ અને મુસાફરોએ ‘સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા’ કેમ્પેઇન હેઠળ સ્વચ્છતાના શપથ લીધા ------ રાજ્યભરમાં શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને સમર્થન આપતા સુરત શહેરમાં પણ વિવિધ સ્થળોએ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરાઇ છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગના અડાજણ બસ ડેપો ખાતે વિભાગીય કચેરીના તેમજ સુરત સિટી ડેપોના કર્મચારીઓ, પ્રવાસીઓને ‘સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતા’ કેમ્પેઇન અંતર્ગત સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. લોકોને નૈતિક જવાબદારીના ભાગરૂપે જાહેર સ્થળોને સ્વચ્છ એન સુઘડ રાખવા માટે આહ્વાન કરાયું હતું. તેમજ સ્વચ્છતા સંકલ્પના શપથ સાથે સ્વચ્છતા અંગે જાગૃત થવા અને લોકોને જાગૃત કરવાનું આહ્વાન કરાયું હતું.            આ પ્રસંગે એસ.ટી. નિગમના સુરત વિભાગીય નિયામક પી.વી. ગુર્જર, નાયબ ઇજનેર રાહુલ પટેલ, વહીવટી અધિકારી એસ.કે.શાહ, ડેપો મેનેજર એમ.વી.ચૌધરી, મનપા ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ કેયુરભાઈ ચપટવાલા, અગ્રણી તિથેશભ

ઓલપાડ ગ્રામ પંચાયત ખાતેથી સુરત જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો શુભારંભ કરાવતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Image
  ઓલપાડ ગ્રામ પંચાયત ખાતેથી સુરત જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો શુભારંભ કરાવતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ---------- ઓલપાડ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષતામાં “સ્વચ્છતા હી સેવા” જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો --------  પ્લાસ્ટિકના ઉપયોગના સ્થાને કાપડની થેલી ઉપયોગ કરવાનો અનુરોધ કરતા વનમંત્રી --------  આગામી દિવસોમાં ઓલપાડ, કીમ અને સાયણ ખાતે વેન્ડિંગ મશીન મૂકાશે, જેમાં ૫ રૂપિયામાં કાપડની થેલી મળશે: વનમંત્રી મુકેશભાઈ પટેલ ------- ઓલપાડ ખાતે સફાઇ અભિયાન અંતર્ગત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓએ સફાઇ કરીઃ ---------- તા.૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ ગાંધીજીને શ્રદ્ધાંજલી આપવાના હેતુ સાથે સમગ્ર ભારત સહિત રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ ખાતેથી સુરત જિલ્લામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં તેમણે સ્વચ્છતા  રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.               ઓલપાડ માર્કેટ

સુરતના લેખક, કવિ જગદીશ પટેલ ‘નારકર’ના કાવ્યોમાં પરમ તત્વની આરાધના અને આધ્યાત્મિક ચિંતન કેન્દ્રસ્થાને

Image
 ગુજરાતી સાહિત્યની ખેડમાં બે અપૂર્વ પ્રયોગ પ્રદાન: ‘અઉમ સદ્દ અક્ષર નમ:’ અને ‘પૂરવાઈ’ --------- સુરતના લેખક, કવિ જગદીશ પટેલ ‘નારકર’ના કાવ્યોમાં પરમ તત્વની આરાધના અને આધ્યાત્મિક ચિંતન કેન્દ્રસ્થાને ---------- કાનામાત્રા રહિત અનોખા કાવ્યોના સર્જક સુરતના જગદીશભાઈ પટેલ ‘નારકર’ તેમના અનોખા ભાષાપ્રયોગ માટે જાણીતા બન્યા છે. પરંપરાગત કાવ્યસર્જન ન કરતા તેમણે ચીલો ચાતરીને કાનામાત્રા વિનાના તેમજ માત્ર ‘પ’ વર્ણાનુપ્રાસી ગઝલ- કાવ્યોનું સર્જન કર્યું છે. જેના કાવ્યસંગ્રહો ‘અઉમ સદ્દ અક્ષર નમ:’ અને ‘પૂરવાઈ’ નામથી પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે.            જગદીશભાઈના કાવ્યોમાં પરમ તત્વની આરાધના અને આધ્યાત્મિક ચિંતન કેન્દ્ર સ્થાને છે તેમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપમાં ધર્મ આત્મા મુક્તિ માનવતા સદાચાર જેવા સંવેદનશીલ અને માનવીય ભાવોનું અભિ નિરૂપણ થયું છે તેમાં સ્વરોને બાદ કરતાં કાના માત્રા રહિત વર્ણોયુક્ત શબ્દો પ્રયોજાયા છે. અગાઉ ચારણ કવિઓ આવી કૃતિઓ રચતા હતા, આ કઠિન કાવ્યપ્રકાર તેમણે આત્મસાત કર્યો છે. જગદીશભાઈના ‘અઉમ સદ્દ અક્ષર નમ:’ કાવ્યસંગ્રહની ઇબારત જુઓ:- ૧) ‘અઉમ તન ભવન પર પરગટ હઈ; વચન રસ શબદ થઈ ફરકત હઈ’  ૨) તજ

સુરત સમચાર : 'સ્વચ્છતા પખવાડા' ઉજવણીના ભાગરૂપે SVNIT દ્વારા 'સ્વચ્છતા દોડ યોજાઈ

Image
 સુરત સમચાર : 'સ્વચ્છતા પખવાડા' ઉજવણીના ભાગરૂપે SVNIT દ્વારા 'સ્વચ્છતા દોડ યોજાઈ. 'સ્વચ્છતા પખવાડા' ઉજવણીના ભાગરૂપે પીપલોદ સ્થિત SVNIT-સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ફિઝીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા તા.૧ થી ૧૫મી સપ્ટેમ્બર  દરમિયાન 'સ્વચ્છતા પખવાડા' ની ઉજવણી અંતર્ગત સંસ્થાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓઓ સ્વચ્છતા પ્રત્યે જાગૃત્ત થાય તે હેતુથી  'સ્વચ્છતા દોડ યોજાઈ હતી.             વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના ઉપયોગના વિપરીત પરિણામો વિશે માહિતગાર કરાયા હતા. આ દોડમાં ભાગ લીધો હતો. સ્વચ્છતા પખવાડાના કન્વીનર અને પ્રોફેસર ડો.એસ.એમ. યાદવ, આસિ. પ્રોફેસર ડો. અમૃત મુલે, હાઉસકીપિંગ અને સેનિટેશનના ફેકલ્ટી ઈન્ચાર્જ અને એસો. પ્રોફેસર ડો.એન.કે. દત્તાએ દરેક કેટેગરીના પ્રથમ ત્રણ વિજેતાઓને મેડલ એનાયત કર્યા હતા.             પ્રો. અનુપમ શુક્લા, ડાયરેક્ટર, એસવીએનઆઈટી, સુરતના સક્ષમ માર્ગદર્શન હેઠળ આયોજિત દોડમાં સિનિયર એસએએસ અધિકારી ડો. ચિરાગ વાઘેલા તથા સંસ્થાના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સ્ટાફ અને કર્મચારીઓના પરિવારજનોએ ભાગ લીધો હતો. 

બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો કેવી રીતે બની ‘લખપતિ દીદી ! જુઓ રીપોર્ટ

Image
બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો કેવી રીતે બની ‘લખપતિ દીદી ! જુઓ રીપોર્ટ  ૧૦૦% ‘હેન્ડમેડ અને હોમમેડ’ સર્ટિફાઇડ નેચરલ આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સ બનાવી બારડોલીના બાબેન ગામના ‘અત્યુત્તમમ્’ સખી મંડળની બહેનો બની ‘લખપતિ દીદી’ -------- સખી મંડળની સ્થાપનાના પ્રથમ વર્ષે જ અંદાજે રૂ.૩૦ લાખનું ટર્ન ઓવર અને રૂ.૧૨.૫૦ લાખના નફા સાથે સખી મંડળની બહેનો બની પગભર --------  કોરોનાકાળ બાદ નોકરી છૂટી જતાં આર્થિક ઉપાર્જન માટે મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળ બનાવ્યું: આયુર્વેદિક ઔષધિ અને રસોડાની સામગ્રી દ્વારા વિકસાવી નેચરલ બ્યુટી પ્રોડક્ટ ---------   અત્યુતમમ્ સખી મંડળને વિવિધ યોજના થકી રૂ.૩૦ હજારનું રિવોલ્વીંગ ફંડ, રૂ.૧.૫૦ લાખની કેશ ક્રેડિટ અને રૂ.૨ લાખની કિંમતનું ફ્લાવર ડ્રાયર અને મિક્સર મશીનની સહાય મળી --------- ‘સખત પરિશ્રમ અને રાજ્ય સરકારની મિશન મંગલમ યોજનાના સથવારે એક જ વર્ષમાં આર્થિક રીતે પગભર બનેલી બહેનો તેમના પરિવાર, સમાજ સહિત અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ:’                                        અત્યુતમમ્ મંડળ પ્રમુખ પુનિતાબેન     --------- કોરોનાના કપરા કાળમાં ચોતરફ આફતોથી ઘેરાય