સુરતના અડાજણ ડેપો ખાતે માનવ ઉત્થાન સેવા સમિતિના સંતો, સ્વયંસેવકો અને ડેપો કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે સફાઇ અભિયાન યોજાયું
સુરતના અડાજણ ડેપો ખાતે માનવ ઉત્થાન સેવા સમિતિના સંતો, સ્વયંસેવકો અને ડેપો કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે સફાઇ અભિયાન યોજાયું
સ્વચ્છતા હી સેવા-સુરત જિલ્લો
‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ અભિયાન હેઠળ સુરતના અડાજણ ડેપો ખાતે માનવ ઉત્થાન સેવા સમિતિના સંતો, સેવાદાર ભાઈઓ તથા બહેનો તેમજ સુરત સીટી ડેપોના કર્મચારીઓએ ભેગા મળી ડેપો પર સફાઇ કરી હતી. તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા રેલી યોજી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો. અને સામૂહિક સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે ડેપો મેનેજરશ્રી મનોજભાઇ ચૌધરી, ટી.આઈશ્રી રાજુભાઈ સુરતી, સંત મહાત્માશ્રી નિરુવતાનંદ, મહાત્મા અંગિરા બાઈ, માનવ સેવા દળ અને યુવાદળના સ્વયંસેવકો સહિત ડેપોના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #SwachhataHiSeva2024 #SpecialCampaign #SwachhBharat #surat
Comments
Post a Comment